Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ધોરાજીમા એક મુસ્લિમ યુવાને વ્યાજના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ પોલીસે તપાસ હાથ ધરી

ધોરાજી:ધોરાજીના જુના કબ્રસ્તાન નજીક આવેલ સમસેર અલી દરગાહ પાસે રહેતા 28 વર્ષીય યુવાન કાલુશાહ ફકીર નામના મુસ્લિમ શખ્સે ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ પોલીસે તપાસ હાથ ધરી છે
આ ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહ નઈ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપેલ અને તેમના પરિવારજનો સાથે નિવેદન પોલીસ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી
મૃતક ના પરીવારજનોનો આક્ષેપ છે કે લોક ડાઉન વખતે વ્યાજે રૂપિયા લીધેલ હોય અને અવારનવાર વ્યાજ ખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણી થતી હોય તેથી આ પગલુ ભરેલ છે તેઓ આક્ષેપ કર્યો હતો
આમ પરીવારજનોનો આક્ષેપ છે કે તેમના ભાઈ એ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે
હાલ ધોરાજી પોલીસે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવેલ છે અને વધુ તપાસ હાથ ધરી છે

(7:00 pm IST)