Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

વઢવાણ નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીના ડૂબી જવાથી મૃત્યુ

તરવૈયાઓએ માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા : મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ

સુરેન્દ્ર નગરના વઢવાણ તાલુકાના ચમારજ ગામે કેનાલમાં માતા-પુત્રીનું ડૂબી જતા મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં નર્મદા કેનાલમાંથી તરવૈયાઓએ માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. આ માતા-પુત્રીના મૃતદેહને PM માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બંનેના મોતનું કારણ અકબંધ રહ્યું છે.

(12:32 am IST)