Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાંકાનેરઃ ભવનાથમાં શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા દ્વારા મંદિર નિર્માણ કાર્ય

 વાંકાનેર, તા.૨૪: જૂનાગઢ ગિરનાર તળેટી, ભવનાથ ની પાવન ગોદમા આવેલ સુપ્રસિદ્ધ શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા શ્રી સકટ મોચન હનુમાનજીદાદાની અસીમ કૃપાથી અખાડાના મહંત પ. પૂજ્ય સંત શ્રી ગંગાદાસજીબાપુના પાવન માર્ગદર્શન હેઠળ હાલ મા શ્રી ઉદાસીન પંચાયતી અખાડા ખાતે જ્યાં શ્રી ચદ્રં ભગવાનનુ મંદિર છે, સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીનુ મંદિર છે અને બાબાજીની સમાધિ પણ ત્યાં આવેલી છે શ્રી સકટ મોચન હનુમાનજીદાદા મંદિર હાલમા વર્ષોથી છે જે હનુમાનજી ની શિખર ઉંચાઈ ૧૩૧ ફૂટ જમીન તલ થી ઉંચાઈ થશે અને શ્રી ચદ્રં ભગવાન નુ ૧૨૧ ફૂટ જમીનથી ઉપર શિખર બનશે અને પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનુ મંદિર ઉપર જમીનથી ૧૦૧ ફૂટ ઉંચાઈ આ ત્રણેય શિખરનુ કામ પૂરજોશમા ચાલુ છે ભવ્યતાથી ભવ્ય શિખર બની રહેલ છે સૌના સાથ સહકાર થી આ કાર્ય હાલ થઈ રહેલ છે અખાડાના મહંત શ્રી ગંગાદાસબાપુએ કહેલ કે શિવરાત્રી ઉપર આ કામ બંધ રહેશે સરકારની ગાઈડ લાઈન અનુસાર મહા શિવરાત્રી ઉપર પાંચ દિવસ સાધુ સંતો તથા ભાવિક , ભજતજનો માટે બંને ટાઈમ મહાપ્રસાદ પૂજ્ય બાબાજીની હયાતીથી હરી હર શિવરાત્રી ઉપર ચાલુ છે શિવરાત્રી પૂર્ણ બાદ તા. ૨ / ૩ / ૨૨ના રોજ અખાડા ખાતે 'કડી પકોડી 'નો મહા-સાદ આપવામાં આવશે શિવરાત્રી ઉપર પ્રતિ વર્ષ જોડિયા રામવાડી ગ્રુપમાંથી ૨૫ થી ૩૦ ભાવિક ભકતજનો જામનગર, મહીકા, રાજકોટ, સુરત, કચ્છ થી પાકડસર શ્રી ઉદાસીન આશ્રમથી પૂજ્ય સંત શ્રી ક્રિષ્નાદાસબાપુ પણ ઉદાસીન અખાડા મા તન મન ધન થી મદદ કરી રહયા છે પોતાની હાજરી પણ હોય છે જોડિયાધામ થી શ્રી શનિભાઈ વડેરા, રાજકોટ ના પૂજ્ય બબાજી ના અનન્ય સેવક શ્રી જયસુખભાઈ જશાણી (શ્રી જશાણીભાઈ) તથા ભોલેબાબાજીના સેવક સમુદાય ના સાથ સહકાર થી અત્યારે અખાડા ખાતે પુરજોશ મા કામ ચાલુ છે જે મહંત પ પૂજ્ય શ્રી ગંગાદાસબાપુએ જણાવેલ છે.

રાજકોટ ત્રિશુલ પંપના શ્રી દિનેશભાઈ પેઢડિયા, શ્રી ડાયાભાઈ પટેલ, અમરેલીથી સેવા કરવા આવે છે મહા શિવરાત્રી નોમથી શિવરાત્રી સુધી મહાઆરતી, સુંદરકાંડના પાઠ અને નોમના સવારે ધજારોહણવિધિ અખાડા ના મહંત શ્રી ગંગાદાસબાપુ તથા સર્વે સંતો ના હસ્તે ધજા ચડે છે અને નોમથી શિવરાત્રી સુધી મહાપ્રસાદ બંને ટાઈમ ભોલેબાબાજીની અસીમ કૃપાથી ઘણા વર્ષથી ચાલુ છે સરકારની ગાઈડ લાઈન અનુસાર શિવરાત્રી ઉજવાશે.

(11:04 am IST)