Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સુરતના મુળદાસબાપુ ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે પૂ. બાપાના પુત્ર અને માતુશ્રીને શ્રધ્ધાંજલી આપી

જુનાગઢ : જામજોધપુરથી ર૧ કિ. મી.ના અંતરે આવેલ ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે સુરત રામમઢીના સંત મુળદાસબાપુ આવ્યા હતા. દરમ્યાન પૂ. જેન્તીરામબાપાએ તેઓનું સાલ ઓઢાડી ગુરૂગીતા અર્પણ કરી સન્માન કર્યુ હતું તેમજ પૂ. મુળદાસબાપુએ પૂ. બાપાના પુત્ર તા. ર૦ મે ના રોજ બ્રહ્મલીન થયેલ. શાસ્ત્રી ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ પૂ. બાપાના માતુશ્રી શાંતાબેન છગનભાઇ શીલુ ગત તા. ૧ર જાન્યુ.ના રોજ અવસાન થતા તેમને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આશ્રમની સેવાકીય પ્રવૃતિ નિહાળી રાજીપો વ્યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:46 am IST)