Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજુલામાં ત્રણ દિવસમાં બે આપઘાતના બનાવો

રાજુલા તા. ર૪: રાજુલામાં છેલ્લા ત્રણ દિવસમાં બે આપઘાતના બનાવો બનવા પામેલ છે. જેમાં બે દિવસ પહેલા ભેરાઇ ગામના આહિર લાભુભાઇ દડુભાઇ નામના યુવાને ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરેલ છે. જયારે બીજા બનાવમાં બાબરીયાધાર ગામની દેવીપુજક યુવતિએ ઉ.વ.ર૪ તળાવમાં  પડીને આત્મહત્યા કરેલ છે.

રાજુલા ભેરાઇ ગામના યુવક દ્વારા બે દિવસ પહેલા કોઇક અગમ્ય કારણસર રાત્રીના સમયે પીપાવાવ બ્રોડગેઇજ લાઇનમાં આવેલ ભેરાઇ રોડ પરના અંડર બ્રિજ પાસેના ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરેલ છે.

જયારે બાબરીયાધાર ગામે દેવીપુજક મેઘાભાઇ પુંજાભાઇ પરમારની ઉ.વ. ર૪ ધુનાબેન ઉર્ફે વર્ષાબેન મેઘાભાઇ પરમારને મગજની બિમારી હોય તેમજ તેમની સારવાર શરૂ હોય તેવા સંજોગોમાં આ યુવતીની લાશ બાલાપર ગામના તળાવમાં તરતી હોય તેવા સમાચાર મળતા ઘટના સ્થળે તાલુકા પંચાયતના સદસ્ય જોરૂભાઇ બાલાપરના સરપંચ હમીરભાઇ મેગળ, ભાજપના પૂર્વ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર બાબરીયાધારના સરપંચ તેમજ દાનુભાઇ મેગળ, લખુભાઇ મેગળ વિગેરે આગેવાનો મદદરૂપ થયેલ છે.

(11:49 am IST)