Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ગોંડલમાં નિવૃત તલાટી મંત્રી વિનોદરાય પારખીયાનો ઝેરી દવા પી આપઘાત

કમરકોટડા ગામની સીમમાં આદિવાસી મહિલાનો ઝેર પી આપઘાત

(જીતેન્‍દ્ર આચાર્ય દવારા) ગોંડલ તા.૨૪: ગોંડલ પંથકમાં ઝેરી દવા પી લઈ આત્‍મહત્‍યા કર્યાની અલગ અલગ બે ઘટનાં માં વૃધ્‍ધ તથા યુવતીએ જીવ ગુમાવ્‍યા છે.

પ્રથમ ઘટનામાં ગોંડલની નંદનવન સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન વિતાવતા વિનોદરાય ચકુભાઇ પારખીયા ઉ.૬૪ સવારે નવ કલાકે કોઈ અગમ્‍ય કારણોસર નવા માર્કેટ યાર્ડ પાસે આવેલી રસીકભાઇ માંડણકાની વાડીમાં ઝેરી દવા પી જતા તેનું મોત નિપજયું હતુ.બનાવ અંગે વાડી માલિકને જાણ થતા તેમણે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સિવિલ હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા.

મૃતક વિનોદભાઈ તલાટી મંત્રીની ફરજ પુરી કરી નિવૃત જીવન જીવતા હતા.સંતાનમાં બે દીકરાઓ હોવાનું જાણવાં મળેલ હતુ.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવ માં તાલુકાનાં કમરકોટડા પ્રકાશભાઈ કાવઠીયા ની વાડીમાં રહી ખેતમજુરી કરતી મુળ દાહોદ ની આદીવાસી ઉર્મીલા ફતેહસિંહ ભુરીયા ઉ.૧૮ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતા ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતુ.ઉર્મીલા તેનાં બેન બનેવી સાથે વાડીએ રહી ખેતીકામ કરતી હતી.બનાવ અગે સુલતાનપુર પોલીસ મથકનાં મયુરભાઈ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)