Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વેરાવળ-સોમનાથ-સુત્રાપાડામાં હનુમાન જયંતિ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪:  સોમનાથ સુત્રાપાડામાં હનુમાન જન્‍મો ઉત્‍સવની ભવ્‍ય શોભાયાત્રા નિકળેલ હતી તેમજ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ હતાજેમાં હજારો ભકતોજનો જોડાયા હતા.

વેરાવળમાં બસ સ્‍ટેન્‍ડ જાગળત હનુમાનની ભવ્‍ય શોભાયાત્રા નિકળેલ હતી તેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોજનો જોડાયા હતા આકર્ષક રથ અને ડી.જે સાથે નિકળેલ તે શહેર ના વિવિધ રાજમાર્ગો ઉપર ફરેલ હતી દરેક મંદિરોમાં અનેક કાર્યક્રમો યોજાયેલ હતા સોમનાથ પ્રભાસપાટણ કીલ્લાવાળા હનુમાન માં વાનર સેના દ્વારા શનિદેવ મંદિર સહીત અનેક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયેલ હતુંજેમા સોમનાથ શોપીગ સેન્‍ટરના વેપારીઓ દ્વારા કીલ્લે હનુમાન માં અન્નકુટ,સુંદરકાંડ ના પાઠ યોજવામાં આવેલ હતા.

સુત્રાપાડા,લોઢવા, પ્રાંચી સહીત દરેક ગામોમાં હનુમાન મંદિરોમાં આખો દિવસ જય બજરંગ બલી ના નાદ ગુંજયા હતા ૩૦૦ થી વધારે મંદિરો માં હનુમાન ચાલીચા,સુંદરકાંડ ના પાઠ, મહાઆરતી,  મહાઆરતી, બટુક ભોજન, મહા પ્રસાદ,ધન ભજન, કીતર્ન, છપન્નભોગ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.

(1:36 pm IST)