Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ધોરાજીના ચિ.નમન પંડયાના યજ્ઞોપવિત સંસ્‍કાર યોજાયા

ધોરાજી : પંડયા પરીવારના ચિ. નમનના યજ્ઞોપવિત સંસ્‍કાર જૂનાગઢ ખાતે યોજાયા હતા. જેમાં મંડપ, પીઠી, દાંડીયા રાસ તેમજ પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઇ હતી. ગાયત્રીમંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ધોરાજી ખાતે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું. આ તકે પૂર્વ ધારાસભ્‍ય લલીત વસોયા, વી.ડી. પટેલ, હરસુખ ટોપીયા, ડો. જયેશ વેસેટીયન, ડો. જાની, જીઇબીનાં નાયબ ઇજનેર રાદડીયા, યુવા અગ્રણી પરેશ વાગડીયા, વિજય બાબરીયા, વકીલો, સામાજીક સંસ્‍થાના હોદ્દેદારો, બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહીતના આગેવાનોએ ઉપસ્‍થિત રહી ચિ. નમનને આર્શીવચન પાઠવેલ. આ તકે જયદેવભાઇ પંડયા અને પંકજભાઇ પંડયા પરીવારે તમામ લોકોને આવકારેલ હતા

(10:44 am IST)