Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જસદણના એસટી બસ સ્‍ટેશનમાં તમામ પંખાઓ બંધઃ મુસાફરોને પડતી હાલાકી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ, તા. ૨૪: જસદણના નવા બસ સ્‍ટેશનની અંદર ઉનાળા દરમિયાન પંખાઓ બંધ હોવાથી મુસાફરોને હાલાકી ભોગવી પડે છે.

જસદણના નવા બસ સ્‍ટેશનની અંદર દીવાલમાં ફીટ કરેલા તમામ પંખાઓ આખા ઉનાળા દરમિયાન બંધ હોવાથી સમગ્ર ઉનાળા દરમિયાન મુસાફરોને કાળજાળ ગરમીમાં મોટી મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. કોઈ એક પંખો નહી પરંતુ તમામ પંખા ઉનાળો શરૂ થયો તે પહેલાથી જ બંધ હાલતમાં જોવા મળે છે.

જસદણના બસ સ્‍ટેશનમાં જસદણ શહેર ઉપરાંત આસપાસના એકસો થી વધારે ગામડાના લોકો જસદણ બસ સ્‍ટેશનમાંથી જુદા જુદા સ્‍થળે જાય છે. બસ આવવાનો સમય બાકી હોય તો મુસાફરો બસ સ્‍ટેન્‍ડની અંદર રહેલી બેઠક વ્‍યવસ્‍થામાં બેસે છે પરંતુ ઉનાળાની કાળજાળ ગરમીમાં તમામ પંખાઓ બંધ રહેતા હોવાથી મુસાફરો પરસેવે રેબજેબ થાય છે. વહેલી તકે પંખાઓ ચાલુ કરવામાં આવે તેવી નાગરિકોની માગણી છે.

(10:51 am IST)