Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વાંકાનેરના પૃથ્‍વીરાજસિંહજી જાડેજાના માતુશ્રીનું અવસાનઃ શુક્રવારે બેસણું

વાંકાનેર : મૂળ ગામ ખાખરડા હાલ વાંકાનેર નિવાસી પથ્‍વીરાજસિંહજી ભીખુભા જાડેજાના માતુશ્રી સુરજબા ભીખુભા જાડેજા, તે ચરાડવા નિવાસી હાલ વાંકાનેર સ્‍વ.રણજીતસિંહજી સજુભા ઝાલા, વજુભા સજુભા ઝાલા, ચંદ્રસિંહજી  સજુભા ઝાલા, ભુપતસિંહજી સજુભા ઝાલા તથા પ્રતાપસિંહજી સજુભા ઝાલાના બહેનનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમના નિવાસસ્‍થાન ગાયત્રીનગર સોસાયટી, પંચાસરા રોડ ખાતે તા. ર૬-પ-ર૦ર૩ શુક્રવારે સાંજે પ થી ૭ રાખેલ છે.

(11:29 am IST)