Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વાંકાનેરથી લજાઇ સુધીના અત્‍યંત બિસ્‍માર સ્‍ટેટ રોડ તાકીદે નવો બનાવો

ગાડા માર્ગથી પણ ખરાબઃ પ્રજાને પડતી હાલાકીમાંથી કયારે મળશે મુકિત?

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ર૪: વાંકાનેરથી લજાઇ ચોકડી (વાયા જડેશ્વર મહાદેવ મંદિર) નો રાજય સરકારનો  સ્‍ટેટ રોડને નવો બનાવી આપવા કિશાન કોંગ્રેસના અગ્રણી ફારૂકભાઇ અબ્‍દુલભાઇ કડીવાર તથા કોઠારીયા ગ્રામ પંચાયતના ઉ.સરપંચ હમીદાબેન એફ કડીવાર દ્વારા ઉપરોકત સ્‍ટેટ રોડ તાકીદે ચોમાસા પહેલા નવો બનાવી આપવા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇને લેખીત રજુઆત કરવામાં આવી છે.

આ મુખ્‍ય સ્‍ટેટ પર આવતા રાતીદેવળી,  પંચાસીયા,વાંકીયા, જડેશ્વર, મહાદેવ મંદિર, હડમતીયા, કોઠારીયા ટોળ સહીતના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત ખાડા-ખાબડા તારવવા મથતા પ્રજાજનોને વારંવાર અકસ્‍માતોનો ભોગ બનવુ પડે છે.  ત્‍યારે તંત્રએ પણ પ્રજાને પડતી મુશ્‍કેલીમાંથી છુટકારો આપવો જોઇએ તેમ પ્રજા ઇચ્‍છી રહી છે.

(11:43 am IST)