Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વાંકાનેરનાં મુસ્‍લિમ અગ્રણી અબ્‍દુલ ગફારભાઇ રાઠોડ હજયાત્રાએ

વાંકાનેર,તા.૨૪ : વાંકાનેર મુસ્‍લિમ સમાજના અગ્રણી અને ઘાંચી સમાજના આગેવાન તેમજ મદીના મસ્‍જિદના ટ્રસ્‍ટી જનાબ અબ્‍દુલગફારભાઈ હાજી ઈસ્‍માઈલભાઈ રાઠોડ હજ્જે બૈતુલ્લાહની મુબારક સફરે જતા હોય આ પ્રસંગે એક શાનદાર ગુલપોષી (ફુલહાર) નો કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકાના હિન્‍દુ-મુસ્‍લિમ આગેવાનોએ અબ્‍દુલગફારભાઈને શુભેચ્‍છાઓ પાઠવી હતી તેઓ તા. ૨૭-૫-૨૦૨૩ ના રોજ મુંબઈ થી મક્કા અને મદીના હજ્જની મુબારક સફર માટે રવાના થશે.

અબ્‍દુલગફારભાઈ રાઠોડ કે જેઓ ખ્‍વાજા ગરીબ નવાજ પેટ્રોલિયમવાળા મકસુદઅહેમદ રાઠોડના વાલીદ તેમજ ગેલેક્‍સી પ્રેસવાળા મહંમદફારુકભાઈના મોટાભાઈ તેમજ વાંકાનેર મુસ્‍લિમ સમાજના અગ્રણી અને અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડના નાનાભાઈ થાય છે તેઓને ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:51 am IST)