Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદર ભારત વિકાસ પરીષદ શાખાના નવા હોદેદારોનો શપથ વિધિ સમારંભ યોજાયો

પોરબંદર, તા., ૨૪: ભારત વિકાસ પરીષદ શાખાના નવા હોદેદારોનો શપથવિધિ સમારંભ યોજાયો હતો.

પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે ભારત વિકાસ પરિષદ  શાખા ની વાર્ષિક  મીટીંગ મળી હતી. આ મીટીંગની શરૂઆત વંદે માતરમ ગાન સાથે તથા ભારત વિકાસ પરિષદના પ્રાંતના અધિકારીઓ દ્વારા દીપ પ્રગટ્‍યા કરી શરૂ કરવામાં આવી હતી.

આ મીટીંગ ના એજન્‍ડા મુજબ પ્રાંતિય અધિકારીઓ દ્વારા પોરબંદર શાખાના નવનિયુક્‍ત પદાધિકારીઓની દ્યોષણા કરવામાં આવી હતી, પોરબંદર શાખાના અધ્‍યક્ષ તરીકે  રામેશ્વરલાલજી કુમાવત (નવોદય વિદ્યાલય ના પ્રધાનાચાર્ય), પોરબંદર શાખાના સચિવ તરીકે  નિલેશભાઈ રૂદ્યાણી, પોરબંદર શાખાના ખજાનચી તરીકે મિલનભાઈ મસાણી, પોરબંદર શાખા ના મહિલા સંયોજીકા તરીકે પ્રજ્ઞાબેન ગજ્જરની નિયુક્‍તિ પ્રાંતીય અને રીજનલ અધિકારીઓ  વિનોદભાઈ લાઠીયા રીજનલ જોઈન્‍ટ સેક્રેટરી ભારત વિકાસ પરિષદ, જેઠસુરભાઈ ગુજરીયા રીજનલ સેક્રેટરી સંપર્ક વિભાગ,  પ્રફુલભાઈ ગોસ્‍વામી અધ્‍યક્ષ શ્રી સૌરાષ્ટ્ર કચ્‍છ પ્રાંત,  કરસનભાઈ મેતા સંગઠન મંત્રી શ્રી સૌરાષ્ટ્ર કચ્‍છ પ્રાંત, કમલેશભાઈ ખોખરી ખજાનચી સૌરાષ્ટ્ર કચ્‍છ પ્રાંતની હાજરીમાં ૫૦ થી વધારે સભ્‍યોની હાજરીમા શપથ લેવડાવી જવાબદારીની દ્યોષણા કરવામાં આવી હતી, મીટીંગમાં  વિનોદભાઈ લાઠીયા દ્વારા ભારત વિકાસ પરિષદની દેશભરમા ૧૫૦૦ થી વધુ શાખાઓ તેમજ અન્‍ય કામગીરીની માહિતી બધાને આપી હતી, કમલેશભાઈ ખોખરી દ્વારા સર્વેનો શાબ્‍દિક આવકાર આપેલો હતો, કાર્યક્રમનું સંચાલન  કમલેશભાઈ ખોખરી તેમાં નિલેશભાઈ રૂધાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું,  નિલેશભાઈ  દ્વારા આભારવિધિ  બાદ રાષ્ટ્રગીત રજુ કરાયું હતું.

(12:24 pm IST)