Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કેશોદના રંગપુર ગામેથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

 કેશોદ,તા.૨૪ :  તાલુકાનાં રંગપુર ગામે રહેતા યુવાન બ્રીજેશભાઈ નામુભાઈ દયાતર પોતાનાં જ ગામની સગીરાને ભગાડી ગયેલ હોય સગીરાના પિતાએ કાર્યવાહી હાથ ધરી હતી.           

પરિવારજનો અને આગેવાનો દ્વારા રૂબરૂમાં બહોળી સંખ્‍યામાં આવી આરોપીને ઝડપી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.   ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આરોપી સહિત સગીરાને ઝડપી લેવામાં આવશે એવી ખાત્રી આપી હતી . પો.સબ.ઇન્‍સ. પી.કે. ગઢવી દ્વારા હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ ડાભી અમરાભાઈ જુજીયા રવીભાઈ ધોળકિયા સંજયસિંહ કળષ્‍ણસિંહ ઝાલા, પ્રતાપસિંહ  દ્વારા યુવકની શોધખોળ કરવા સઘન તપાસ હાથ ધરી હતી અને રાજકોટ ખાતે હોવાની માહિતી મળી આવતાં સગીરાને,યુવક બ્રીજેશ નામુભાઈ દયાતર અને મદદગારી કરનાર શખ્‍સ ને ઝડપી લીધા હતો.

સગીરાના મેડિકલ ટેસ્‍ટ કરી પરિવારજનો ને સોંપી છે ત્‍યારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસમાં વધુ આધાર પુરાવાઓ મળી આવશે તો આઈપીસી કલમ નો ઉમેરો પણ કરવામાં આવશે.

(1:51 pm IST)