Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢ ટીટા પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવને ધ્‍વજા ચડાવાઇ

 જૂનાગઢ : વડોદરા સ્‍થિત મનસુખભાઈ ટીટા અને તેમના પુત્ર ડો.દીપકભાઈ ટીટા અને પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવને ધ્‍વજા ચડવામાં આવી હતી. પ્રભાસ પાટણથી મહાદેવની ધ્‍વજા લઈને ઢોલ અને શરણાઇ સાથે મોટી સંખ્‍યામાં ભક્‍તોએ હર હર મહાદેવનો નાદ ગુંજાવ્‍યો હતો અને મહાદેવને ધ્‍વજા અર્પણ કરી હતી. આ પાવન કાર્ય બદલ અસી. પ્રો.અજય સી ટીટા દ્વારા સમગ્ર પરિવાર વતી  મનસુખભાઈ ટીટાનું સન્‍માન કર્યું હતું.

(1:55 pm IST)