Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢમાં સેવા સેતુ ડાયગ્નોસીસ સેન્‍ટરના ઉદ્ધાટન પ્રસંગે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્‍યલ ગ્રુપનું સન્‍માન

જૂનાગઢ : શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશિયલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંદેગરાની યાદીમાં જણાવવામાં આવે છે કે, શ્રી સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સેવાસેતુ નિદાન કેન્‍દ્રનો પ્રારંભ થયો છે. જેમાં લોકોને લોહી, પેસાબ, એક્‍સ રે, સહિતના ગુણવત્તા ભર્યા રિપોર્ટ વ્‍યાજબી ભાવે કરી આપવામાં આવશે. અને ભવિષ્‍યમાં વિવિધ મેડિકલ ક્ષેત્રના ઉપકરણો (મશીનરીઓ)ની પણ વ્‍યવસ્‍થાનો લાભ લોકોને મળશે. જેની દરેક લોકોએ નોંધ લેવી.  શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવળત્તિ જેવી કે, સર્વ રોગ નિદાન કેમ્‍પ, રક્‍તદાન કેમ્‍પ, વિદ્યાર્થીઓનો સત્‍કાર તથા સન્‍માન સમારોહ, જરૂરિયાતમંદ લોકોને સહાય,  સમૂહ લગ્ન, નવરાત્રી મહોત્‍સવ, અષાઢી બીજ શોભાયાત્રા મહોત્‍સવ, કોરોના કાળ દરમિયાન કરેલ કોવિડ કેર સેન્‍ટર સહિત વિવિધ પ્રકારની સેવાકીય પ્રવળત્તિની નોંધ શ્રી સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ સન્‍માનિત કરવા બદલ તમામ ટ્રસ્‍ટીઓનો તથા  સેવાભાવી ખજૂરભાઈનો  આભાર વ્‍યકત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશિયલ ગ્રુપના લલીતભાઈ વરૂ, ભાવેશભાઈ ખોલીયા, હિતેશભાઈ ચાંદેગરા,જયેશભાઈ જાદવ સાહેબ, હરેશભાઈ જેઠવા, ભરતભાઈ જાદવ, આશિષભાઈ કોરિયા, સંદીપભાઈ રાઠોડ, રાજુભાઈ જાદવ, સંજયભાઈ બુહેચા, -વિણભાઇ કોરિયા, વિપુલભાઈ રાવત સહિત ગ્રુપના સભ્‍યોએ હાજરી આપેલ હતી.  આ સેવા સેતુ કેન્‍દ્રના ડૉ. નીરજ મૈયળ  સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓ તથા આ સંસ્‍થાને વેગ આપનારા એવા ડૉ. ચિંતન યાદવ, ડૉ. પિયુષ બોરખતરીયા, ડૉ. નિલેશ બારૈયા સહિતના તમામ લોકોનો આભાર માની  શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:59 pm IST)