Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

રોટરી ક્લબ મોરબી દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.

મોરબી :રોટરી ક્લબ મોરબી-રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૮ને રવિવારે સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી મેઈન રોડ,શનાળા રોડ મોરબી ખાતે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જે કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરી આપવામાં આવશે કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ જેવા જટિલ રોગોના નિદાન કરવામાં આવશે
   કેસ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૧ હરીશભાઈ શેઠ મોબાઈલ નંબર ૯૩૭૬૧ ૬૧૪૦૬ અને રષેશભાઈ મહેતા મોબાઈલ નંબર ૯૮૯૮૦ ૭૧૪૭૫ તેમજ કસ્ટમર કેર નંબર ૬૩૫૬૩ ૫૧૧૧૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે કેમ્પનો લાભ લેવા પ્રેસિડેન્ટ રોટે અશોકભાઈ મહેતા, સેક્રેટરી રોટે રષેશ મહેતા તેમજ રોટે કમલેશભાઈ દફતરીની યાદીમાં જણાવ્યું છે.

   
(10:50 pm IST)