Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પાલીતાણામાં ખારાના નદીના પટમાં વાડીમાં ચરી રહેલી 7 ભેંસોના અગમ્ય કારણોસર મોત

2 ભેંસો સારવાર આપી બચાવી લેવામાં આવી: પશુપાલકોમાં ફફડાટ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ખારાના નદીના પટમાં વાડીમાં ચરી રહેલી 7 ભેંસોના અગમ્ય કારણોસર મોત નીપજતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ થતા પશુપાલન વિભાગની ટીમ દોડી આવી હતી અને અંત 2 ભેંસો સારવાર આપી બચાવી લેવામાં આવી હતી

મળતી માહિતી મુજબ આ ભેંસો રાજવાડી વિસ્તારમાં રહેતા માલધારી મુન્નાભાઈ સાટીયાની હોવાનું સામે આવ્યું છે. મૃતક ભેંસોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ ભેંસોના મોતનું સાચું કારણ સામે આવશે.

 

(12:59 am IST)