Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વિસાવદરના ખેડુત પુત્રનો પોતાની વાડીએ આપઘાત

ગળાફાંસો ખાયને મોતને મીઠુ કર્યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : વિસાવદરના ખેડુત પુત્રએ પોતાની વાડીએ આપઘાત કરી લેતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદરના મારૂતિનગરમાં રહેતા કાળુભાઇ કરશનભાઇ રામાણી (ઉ.૪પ) ગઇકાલે તેમની વિસાવદરથી ૧૦ કિ.મી.દુર દુધાળા ગામે આવેલ વાડીએ ગયા હતા.

અહિં વાડીએ કાળુભાઇએ બપોર પછી ગળાફાંસો ખાય લીધો હતો. જેની જાણ થતા તેેમાં મોટાભાઇ વાડીએ દોડી ગયા હતા અને પ્રાઇવેટ વાહનમાં કાળુભાઇને સારવાર માટે વિસાવદર ખાતે લઇ ગયા હતા.

પરંતુ સીએચસીના ડો. પાર્થ ફુલેત્રાએ કાળુભાઇને મૃત જાહેર કરતા ગમગીની પ્રસરી ગઇ હતી ખેડુત પુત્રના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી વિશેષ તપાસ જમાદાર ડી.ટી.ગઢવી ચલાવી રહ્યા છે.

(11:31 am IST)