Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવેલ પૂજ્ય જલારામ બાપાની જગ્યા મંગળવારે સૂર્યગ્રહણ કારણે બંધ રહશે,

વીરપુર :સમગ્ર દેશમાં દીવાળીના તહેવારોની રજાઓ પડી ગઈ છે જેમને લઈને લોકો દિવાળીની રજાઓ માણવા ફરવાલાયક અને ધાર્મિક જગ્યાઓ પર જતાં હોય છે ત્યાંરે જગવિખ્યાત વીરપુરમાં પણ લાખો ભાવિકો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ 25 ઓક્ટોબર મંગળવારે સૂર્યગ્રહણ હોવાથી વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા બપોર બાદ બંધ રાખવામાં આવશે, તારીખ 25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ હોવાથી બપોરે 1.30 થી સાંજના 7.30 વાગ્યા સુધી જલાબાપાની જગ્યા બંધ રહેશે તેમજ પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્ર પણ સૂર્ય ગ્રહણને કારણે બંધ રહેશે,પૂજ્ય જલારામ બાપાની સંધ્યા આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે સંધ્યા આરતી સાંજે 7:30 વાગ્યે કરવામાં આવશે જેમની વીરપુર આવતા ભાવિકોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે

 

(10:50 pm IST)