Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ભાવનગરમાં ઢોર હડફેટે આધેડ પરેશ વાઘેલાનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૪: ભાવનગર શહેરમાં દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ નારણભાઇ વાઘેલા ઉં.વ.૫૦ નામના આધેડનું ઢોરની હડફેટે  ચડી જતા નિપજ્યું મોત નીપજ્યું છે. પરેશભાઈ પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે અડફેટે લેતા મોત થયું હતું. ભાવનગર મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે ઈજાગ્રસ્ત થયા છે અને મોતને ભેટયા છે ત્યારે મનપા રખડતા ઢોર મામલે સક્રિય બને અને લોકોના જીવ બચે તેવી ભાવનગરના શહેરીજનો માંગ કરી રહ્યા છે.

(10:50 am IST)