Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સાંદિપની વિદ્યાનિકેતન - શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ, પૂજા અને દીપદાન સાથે દિપાવલી પર્વ ઉજવાશે

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝા ‘ભાઇશ્રી' દ્વારા પ્રસ્‍થાપિત : લક્ષ્મીપૂજન, દીપદાન વિધિ, રૂપ ચતુર્દશીના દિવસ શ્રી હનુમાનજીની પૂજા, શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું સહ્વકમલો દ્વારા વિધિપૂર્વક પૂજન-અર્ચન, નૂતન વર્ષ નિમિત્તે શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનને અન્નકૂટ ભોગ સહિતના કાર્યક્રમો

(વિનુ જોશી)જુનાગઢ તા.૨૨ : પોરબંદરમાં પૂᅠ રમેશભાઈ ઓઝા ‘ભાઇશ્રી' દ્વારા પ્રસ્‍થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે દિપાવલીનું પર્વ ઉજવવામાં આવશે.

તા. ૨૪-૧૦-૨૦૨૨, સોમવાર દિવાળીના શુભ દિવસે સાંજે સમય ૫.૦૦ થી ૬.૩૦ શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું સહ્વકમલો દ્વારા વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થશે. ૬.૩૦ વાગ્‍યેથી દીપદાન વિધિ થશે, ૭.૦૦ વાગ્‍યે શયન આરતી થશે. શયન આરતી બાદ ૭.૩૦ થી ૮.૦૦ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્‍મુખ દીપોત્‍સવ થશે અને ત્‍યારબાદ ૮.૦૦ વાગ્‍યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવશે.ᅠ

દીપદાનનું મહત્ત્વ

ભગવાન વિષ્‍ણુના વામન અવતારમાં જયારે ભગવાને સંપૂર્ણ પૃથ્‍વીને એક ચરણમાં માપી લીધી ત્‍યારે બલિરાજાના દાન અને ભક્‍તિથી પ્રસન્ન થઈને ભગવાને જયારે વરદાન માંગવાનું કહ્યું ત્‍યારે બલિરાજાએ પ્રાર્થના કરી કેᅠ આસો માસની ત્રયોદશી, ચતુર્દશી અને અમાસ સહિત ત્રણ દિવસ સુધી જે વ્‍યક્‍તિ યમરાજને દીપદાન કરે, એમને યમયાતના ભોગવવી ન પડે અને ત્રણ દિવસ સુધી જેઓ દીપાવલિ ઉજવશે એના ઘરનો શ્રીલક્ષ્મીજી ક્‍યારેય ત્‍યાગ ન કરે. ભગવાનને ‘એવમસ્‍તુ' કહીનેᅠ કહ્યું કે જે મનુષ્‍ય આ ત્રણ દિવસમાં દીપદાન /દીપાવલી કરશે તો મારી પ્રિયા લક્ષ્મી એને છોડીને જશે નહિ.

તા. ૨૬-૧૦-૨૦૨૨, બુધવારના રોજ શ્રીહરિ મંદિરમાં નૂતન વર્ષ ઉજવવામાં આવશે. પ્રાતઃ ૭.૩૦ વાગ્‍યે મંગલા આરતીના દર્શન અને ૮.૦૦ થી ૦૧.૦૦ દરમ્‍યાન ધાન્‍યકૂટ સમર્પિત કરવામાં આવશે અને મધ્‍યાહ્નમાં ૧૨.૦૦ વાગ્‍યે ધાન્‍યકૂટની આરતી સંપન્ન થશે. અપરાહ્ન સમયમાં નૂતન વર્ષ નિમિત્તે શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનને અન્નકૂટ ભોગ લગાવવામાં આવશે. જેના દર્શનનો સાંજે ૪.૩૦ થી ૮.૦૦ દરમ્‍યાન સૌ દર્શનાર્થીઓ લાભ લઈ શકશે. સાંજે ૭.૦૦ વાગ્‍યે અન્નકૂટ આરતી પણ સંપન્ન થશે.

(10:51 am IST)