Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

જસદણનાં ઘેલા સોમનાથ મંદિર સૂર્યગ્રહણના દિવસે બંધ રહેશે

જસદણ તા. ૨૪: સમગ્ર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મંદિર ધાર્મિક નીતિ નિયમો મુજબ સૂર્ય ગ્રહણના દિવસે દર્શન માટે બંધ રહેશે. તા. ૨૫-૧૦ ને મંગળવારના રોજ આસો વદ અમાસના દિવસે સૂર્યગ્રહણ છે.જેથી આ દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્‍યાથી સાંજ ના ૭-૩૦ સુધી દર્શન, પૂજા અર્ચના વગેરે બંધ રહેશે. તેમજ સૂર્યગ્રહણનાં દિવસે બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉ થી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. સૂર્ય ગ્રહણના બીજે દિવસે તારીખ ૨૬/૧૦ને નુતન વર્ષના દિવસે દર્શન રાબેતા મુજબ આખો દિવસ શરૂ રહેશે તેમ બી.એચ.કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્‍ટની યાદી જણાવે છે.

 

(12:50 pm IST)