Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અમિતભાઇ શાહ કાલે સોમનાથ મહાદેવના દર્શને : ભાજપની બેઠકને સંબોધશે

ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિત સૌરાષ્‍ટ્ર ઝોનના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્‍થિત રહેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૨૪ : વિધાનસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્‍યારે કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ કાલે તા. ૨૫ને મંગળવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. શ્રી અમિતભાઇ શાહ સૌરાષ્‍ટ્ર ઝોનની ભાજપની બેઠકને સંબોધશે. આ બેઠક માટે ભાજપ ટીમ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  સોમનાથના આંગણે ભાજપની સૌરાષ્‍ટ્ર ઝોનની તા. ૨૫ના બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્‍થિત રહી પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.  કાલે તા. ૨૫મી ઓકટોબરે સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કાજલી ખાતે ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠક સવારે ૧૦ થી ૪ વાગ્‍યા સુધી યોજાશે. જેમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્‍થિત રહેશે અને પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. મુખ્‍યમંત્રી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી સોમનાથના હેલીપેડ ખાતે હેલીકોપ્‍ટર દ્વારા આવશે. સોમનાથ મહાદેવના દર્શન કરી કાજલી ખાતે જશે.  કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ભાજપ પ્રમુખ અધ્‍યક્ષ સી.આર.પાટીલના આગમનને લઇને ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

(11:23 am IST)