Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સાવરકુંડલા : યુસુફભાઈ ચૌહાણનું નિધનથી મુસ્લિમ સમાજમાં ઘેરો શોક

  સાવરકુંડલા : ધીર ગંભીર સચોટ વ્યકતીત્વનું પ્રતીક  યુસુફભાઈ ચૌહાણ નું આજે એકા એક હૃદય રોગ ના હુમલા થી અવસાન થતાં મુસ્લિમ સમાજ માં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેંલાઇ હતી.

    જિંદગી કેમ જીવી તેવી શીખ યુસુફભાઈ ચૌહાણ પાસે થી લીધા જેવી યુસુફ ચૌહાણ પંચવખ્તના નમાજી ક્યારે પણ કોય પણ સંજોગો માં કે પણ સ્થિતિ માં નમાજ રજા કજા ન થાય ખોટું બોલવું નહીં ખોટું સાંભણવુ નહીં નાની ઉમર માં મોટી ઓળખ ઉભી કરી તેમજ સાવરકુંડલા ના નામાંકિત વેપારી આગેવાન અશ્વિનભાઈ ધડુક ને ત્યાં ૩૦ વર્ષ થી સર્વિસ કરતા નેક ઇન્સાન ઈમાનદારી વફાદારી ના કારણે માર્કેટીંગ યાર્ડ ના વેપારી મજૂરો કર્મચારી ઓ માં એક જબરો વિશ્વાસ ઉભો કર્યો ૫૭ વર્ષની ઉમરમાં ક્યારે કોયને ખીજાય ને કે ઉગ્ર થઈને બોલ્યા હોય તેવું કયારે નથી બન્યું  સાચા અને પાબન નમાજી તેમના વીશાળ પરિવારને એકા એક અલવિદા કરી ગયા તે તેમના નેક વિચારો નેક કાર્યો અને દુઃખ માં દુઃખી અને સુખ માં સુખી બની જીવન જીવનાર નેક ઇન્સાન નેક નમાજી યુસુફભાઈ ચૌહાણ ની ચીર વિદાય તો મુસ્લિમ સમાજ માટે દાખલ અને કહેવા રૂપ બનશે. અલ્લાહ તાલ્લાહ નેક નમાજી યુસુફભાઈ ચૌહાણ ની નમાજ બંદગી ઈબાદત નેક કર્યો ના સદકે જન્નનતુલ ફિરદૌસ માં આલ્લાસે આલ્લા મક્કમ અતા ફરમાવે અને મરહુમ ના કુટુંબીજનો ઉપર આવેલ આફત સહન કરવાની તોફિક આપે આમીન.

(2:10 pm IST)