Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરે શનિવારે સંત કીર્તન આરાધના યોજાશે.

મચ્છુ નદીના તટ પર નિર્માણાધિન શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના સંગીતયજ્ઞ સંતો દ્વારા સુગમ – શાસ્ત્રીય સંગીતની જુગલબંધી

મોરબી મચ્છુ નદીના તટ પર નિર્માણાધિન શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના સંગીતયજ્ઞ સંતો દ્વારા સુગમ – શાસ્ત્રીય સંગીતની જુગલબંધી સાથે સંત કીર્તન આરાધના-ભજન સંધ્યા યોજાશે

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સમગ્ર ઉત્સવ દરમિયાન પોતાના સુરીલા કંઠથી લાખોને મંત્ર મુગ્ધ કરનાર BAPS સંસ્થાના સંગીતજ્ઞ સંતો મોરબીના આંગણે પધારી રહ્યા છે ત્યારે તા. ૨૫ ને શનિવારે રાત્રીના ૮ થી ૧૧ કલાકે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ઝુલતા પુલ બાજુમાં મોરબી ૨ ખાતે સંત કીર્તન આરાધના ભજન કાર્યક્રમ યોજાશે જેનો જાહેર જનતાએ લાભ લેવા સાધુ હરિસ્મરણદાસ અને સાધુ મંગલપ્રકાશદાસે નિમંત્રણ પાઠવ્યું છે.

   
(11:19 pm IST)