Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ગોંડલના દેરડી (કુંભાજી)માં મંગળવારે આરોગ્‍ય જાગૃતિ વિષયક સેમીનાર

(અશોક પટેલ દ્વારા) મોવિયા,તા. ૨૫: ગોંડલના દેરડી કુંભાજી ગામે શ્રી સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દ્વારા લેઉવા પટેલ સમાજ ખાતે હેલ્‍થ જાગૃતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે આ સેમિનારમાં રાજકોટનાં પ્રખ્‍યાત ડો. ભુમિબેન દવે (કન્‍સલટન્‍ટ ફિજીશિયન ફ્રોમ વોક હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ) ‘બીમારી જો આવે જ નહિ તો?' આ વિષય ઉપરસ્ત્રી, પુરુષ,બાળકો, યુવાનો અને તમામ ઉમરનાં લોકોને આ સેમિનારથી શરીર માં શારીરિક માનસિક તાણ દૂર થાય એવા પ્રકાર નો એક હેલ્‍થ અવરનેશ સેમિનાર તારીખ ૨૮ ફેબ્રુઆરીનાં રોજ રાત્રે ૮ કલાકે લેઉવા પટેલ સમાજ દેરડી ખાતે રાખેલ છે.

આ સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે રક્‍તદાન, મેડિકલ સર્જીકલ સાધનો જરૂરિયતમંદોને નિશુલ્‍ક આપવામાં આવે છે ગરીબો માટે ‘માનવતાની દીવાલ' કૈલાસ ધામ (સ્‍મશાન)માં નિહારની તમામ વસ્‍તુની કીટની વ્‍યવસ્‍થા કરેલ તેમજ ગામના સેવાભાવી લોકોનું સન્‍માન આ ફાઉન્‍ડેશન દ્વારા થાય છે.

(10:31 am IST)