Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કેશોદ સ્‍વામિનારાયણ મંદિરમાં ૩૫ મો પાટોત્‍સવ તથા અન્‍નકૂટના દર્શન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૫: કેશોદ જુના પ્‍લોટમાં આવેલ સ્‍વામિનારાયણ મંદિરમાં  ૩૫માં પાટોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો.

વહેલી સવારમાં મહાઆરતી, સ્‍વામિનારાયણ ભગવાનને પંચામૃત, અત્તર, દૂધ મધ વગેરે દ્વારા અભિષેક કરવામાં આવેલો હતો. ત્‍યારબાદ પૂજા વિધિ રસિક ભગત દ્વારા કરવામાં આવેલી હતી. યજમાન પદે હરિભક્‍ત જયેશભાઈ ભટ્ટ બિરાજમાન હતા.મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હરિભક્‍તો દ્વારા અભિષેકનો લાભ લેવામાં આવેલો હતો.

બપોરના સમયે ૫૬ ભોગ અન્નકૂટના દર્શન તેમજ આરતી  રસિક ભગત દ્વારા કરવામાં આવેલી હતી . અન્નકૂટની પ્રસાદીનો  મોટી સંખ્‍યામાં હરિભકતો ભાઈ બહેનોએ લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍વામિનારાયણ મંદિર કેશોદના પૂજારી ચંદુભાઈ ગોટેચા અને યુવક મંડળ તથા હરિભક્‍તો દ્વારા ભારે જમાત ઉઠાવવામાં આવી હતી.

(12:44 pm IST)