Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોરબી નવયુગ કેરિયર એકેડમી દ્વારા PSI / કોન્‍સ્‍ટેબલ માટે ફ્રી સેમીનાર

મોરબી તા. ૨૫ : હાલ ખૂબ જ મોટી સંખ્‍યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્‍યારે PSI/ કોન્‍સ્‍ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કેરિયર એકેડેમી દ્વારા કરવામાં આવ્‍યું છે.

મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે. સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નિષ્‍ણાત તેમજ મોટીવેશનલ વક્‍તાશ્રી પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી સાહેબ આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. વિશેષ ઉપસ્‍થિતિમાં ડીવાયએસપી સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.

૯૭૨૭૨ ૪૭૪૭૨ પર વોટસએપ કરી પોતાનું નામ નોંધાવવું સેમિનાર, રવિવાર   સવારે ૯ થી ૧૧, સ્‍થળ- સંસ્‍કાર ઇમેજિંગ સેન્‍ટર સેમિનાર હોલ, સનાળા રોડ મોરબી.

(11:33 am IST)