Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૧ કેસ

મોરબી,તા.૨૫ : મોરબી જીલ્લામાં કોરોનાના  ૧૧ કેસો નોંધાયા છે જયારે ૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે એકપણ મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું નથી   નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૭ કેસો જેમાં ૦૫ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમા, વાંકાનેર અને હળવદના ૦૧-૦૧ કેસ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૧ કેસ નોંધાયા છે માળિયા તાલુકામાં આજે એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં કુલ ૨૭ દર્દીઓ સ્વસ્થ થયા હતા તો  એકપણ મૃત્યુના થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ઘટીને ૩૩૬ થયો છે.

(11:45 am IST)