Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ભાવનગરમાં બેના મોત, ૧૦૬ કેસ, ૭૧૭ દર્દીઓ કોરોનામૂકત

ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લામા વધુ ૧૦૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૭૬૮ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૪૧ પુરૂષ અને ૨૨ સ્ત્રી મળી કુલ ૬૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તાલુકામાં ૧૦, ઘોઘા તાલુકામાં ૧૮, તળાજા તાલુકામાં ૭, મહુવા તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧, સિહોર તાલુકામાં ૪ તેમજ વલ્લભીપુર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૪૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૩૨ અને તાલુકાઓમાં ૨૮૫ કેસ મળી કુલ ૭૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૭૬૮ કેસ પૈકી હાલ ૧,૬૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૭૪ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:50 am IST)