Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની વ્હારે, રાશન કીટ લઈને રવાના થયા.

મોરબી :વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ છે

  મોરબીના સેવાભાવી યુવાનો નવઘણ ભરવાડ, કિશન રબારી, ચિરાગ બોરીચા, મેઘરાજ ભરવાડ, હાર્દિક પટેલ, વિપુલ રબારી, યશ પટેલ, પોપટ મેર અને ભરત આહીર સહિતના જીવનજરૂરી રાશનની તમામ ચીજવસ્તુઓની ૧૫૦૦ થઈ ૨૦૦૦ કીટ તૈયાર કરી વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે રાજુલા, અમરેલી, ગીર અને ઉના સહિતના વિસ્તારમાં વિતરણ કરવા પહોંચ્યા છે ઉપરાંત નળિયાની ટ્રક ભરીને સાથે લઇ ગયા છે જેનું વિતરણ કરાશે

(10:00 pm IST)