Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબી ગોસ્વામી સમાજે સોશ્યલ મીડિયામાં સાધુ સમાજ વિરુદ્ધ ટીપ્પણી અંગે આવેદન પાઠવ્યું

ભરત ભરવાડ વિરુદ્ધ જિલ્લા કલેકટર ઓફિસ તથા એસપી ઓફિસમા આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબી : તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક અને સામાજિક લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવામા આવેલ જેના પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા હતા.અને વિવિધ જગ્યાએ તેમના પર ફરિયાદ દાખલ કરી કડક કાયઁવાહીની માંગ કરવામા આવી છે.
જેના અનુસંધાને મોરબી શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મોરબી એસપી તથા જિલ્લા કલેકટરને ભરત ભરવાડ વિરુદ્ધ આવેદન પાઠવ્યું છે અને તેમના વિરુદ્ધ કડકમા કડક કાયઁવાહી કરવાની માંગ કરવામા આવી છે. આ તકે શ્રી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળમાંથી તેજસગીરી, હાર્દિકગીરી, હિરેનગીરી, ચેતનગીરી, મુકેશપરી તથા સપ્તેશ્વર મહાદેવ મહંત લાભુગીરી, પીઠડના મહંત રમેશગીરી, મહેન્દ્રનગરથી રાજેશપરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(10:02 pm IST)