Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જામજોધપુર ભાજપ કાર્યાલયે શ્રધ્ધાંજલી

 (દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંદ્યના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ની પુણ્યતિથી પર જામજોધપુર ભાજપ કાર્યાલય ખાતે રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, નગર પાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ,જિલ્લા ના મંત્રી કૌશિકભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડિયા, પૂર્વ શહેર પ્રમુખ ખુશાલભાઈ જાવીયા , યુવા મોર્ચ પ્રમુખ રવિ દેલવાડિયા,તાલુકા પ્રમુખ જે.ટી ડોડીયા, વગેરે લોકો હાજર રહીને શ્રદ્ઘાંજલી અર્પણ કરી હતી.

(11:45 am IST)