Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

એટ્રોસિટી અંગેની ખોટી ફરિયાદ રદ કરવા હળવદ દલવાડી સમાજની માંગ

હળવદઃ ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ઘનશ્‍યામપુર ગામના દલવાડી સમાજના બે નિર્દોષ લોકો ઉપર એટ્રોસીટી એકટ મુજબ ખોટી ફરિયાદ નોંધાતા આ ફરિયાદ રદ કરવાની માંગ સાથે હળવદ તાલુકા દલવાડી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્‍યામપુર ગામે રહેતા મગનભાઈ ભુદરભાઈ તેમજ પ્રવીણભાઈ કરશનભાઈ વિરૂદ્ધ ખોટી રીતે એટ્રોસીટી એકટ મુજબની ફરિયાદ નોંધાતા આ મામલે હળવદ તાલુકા દલવાડી સમાજના આગેવાન રણછોડભાઈ દલવાડી, દિનેશભાઇ કરશનભાઇ દલવાડી સહિતના આગેવાનોએ મામલદાર હળવદ સમક્ષ આવેદનપત્ર પાઠવી ફરિયાદ રદ કરવા માંગ કરી હતી.

(12:44 pm IST)