Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ભાવનગરમાં વધુ ૧ દર્દીનું મોત : વધુ ૩૯ કેસો : ૫૬ દર્દી કોરોનામુકત : ૧,૧૩૨ પૈકી ૩૯૭ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા. ૨૫ : ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે કોરોનાથી ભાવનગરમાં એકનું મોત નિપજતા મૃત્યુઆંક ૨૨ એ પહોંચ્યો છે.

ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૧૩૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૨૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૩, ઘોઘાના કુડા ગામ ખાતે ૧, ઘોઘાના છાયા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણાના રંડોળા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૪, સિહોરના રાજપરા(ખો) ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજાના બેલા ગામ ખાતે ૨, તળાજાના બપાસરા ગામ ખાતે ૧ તથા ઉમરાળાના ધારૂકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૩ એમ કુલ ૫૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ઙ્ગઆમ જિલ્લામા નોંધાયેલા ૧,૧૩૨ કેસ પૈકી હાલ ૩૯૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૭૦૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.(

(11:37 am IST)