Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શ્રી જામ ધર્માદા સંસ્થાના મંદિરોમાં નિયમોનો ભંગ થશે તો મંદિરો બંધ કરાશે : જામ સાહેબ

જામનગર,તા.૨૫ : શ્રી જામ ધર્માદા ટ્રસ્ટનાં જામનગરનાં જામસાહેબ શ્રી શત્રુશલ્યજીએ જણાવ્યુ છે કે શ્રી જામ ધર્માદા સંસ્થાનાં મંદિરોના દર્શનાર્થીઓને જણાવવાનું કે, ગુજરાત સરકારે ઉદાર ભાવનાથી મંદિરો અમુક શરતો અને અમુક સમયે અને નિયમો આધીન ખુલ્લા રાખવાની મંજુરી આપી છે.

તેનો સહુએ સમજી વિચારીને લાભ લેવાનો છે.

પરંતુ, હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે, દર્શનાર્થીઓએ સરકારના અને અમારા નિયમોને ધ્યાનમાં રાખીને વર્તન કરવું જો દર્શનાર્થીઓ ગેરવર્તન કરશે અને નિયમનો ભંગ થશે કે ગેરલાભ લેવાની કોશિષ કરશે તો સંસ્થાના મંદિરો મારે ન છુટકે બંધ કરવા પડશે તેમ જામસાહેબશ્રી એ જણાવ્યું છે.

(2:41 pm IST)