Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણી સ્વ.બચુભાઈ કોયાણીની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરાયું

ધોરાજીના સોની બજારમાં નીરાધાર રમણીક (લાડક) ને સેવા દરમિયાન નવું જીવતદાન મળ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:  ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણી સ્વ બચુભાઈ શામજીભાઈ કોયાણી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને ધાબળા વિતરણ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું
 ધોરાજીના લેઉવા પટેલ જાગૃતિ મંડળ તેમજ ધોરાજી શહેર ભાજપના મંત્રી ધીરુભાઈ કોયાણીના પિતાશ્રી સ્વ બચુભાઈ શામજીભાઈ કોયાણી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને ધાબળા તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલું હતું આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા સુધરાઇ સભ્ય ઇશ્વરભાઇ બાલધા સાધુ સમાજના અગ્રણી દિલીપભાઈ અગ્રાવત ભાજપના પૂર્વ મહામંત્રી સુખદેવસિંહ વાળા કેવલ ભાઈ કોયાણી અશ્વિન ભાઈ કોયાણી ભૌતિક ભાઈ કોયાણી પ્રભુદાસભાઈ પ્રકાશભાઈ તથા જયદીપભાઇ વિગેરે અગ્રણીઓ તેમજ કોયાણી પરિવારના સદસ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગરીબ અને નિરાધાર પરિવારોને ધાબળા વિતરણ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ
 ધોરાજીના સેવાભાવી ગણાતા ધીરુભાઈ કોયાણી લેવા પટેલ જાગૃતિ મંડળ તેમજ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહિત વિવિધ સંસ્થાની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે આવા સમયે પોતાના પિતા બચુભાઈ શામજીભાઈ કોયાણી બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને ધાબડા તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું
કોરોના મહામારી ના આવા સમયે સોની બજાર ખાતે રમણીક પરમાર ઉર્ફે લાડક ગંભીર બીમારીમાં હોય ત્યારે તેમને હોસ્પિટલ ખાતે લઇ જઇ સતત પંદર દિવસ સુધી સારવાર કરાવવી અને સેવા ની જ્યોત જલાવીને ધીરુભાઈ કોયાણી એ નિરાધાર વ્યક્તિને નવું જીવતદાન આપ્યું હતું

(8:52 pm IST)