Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જામકંડોરણાઃ ખીરસરા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે પંચમ પાટોત્સવ ઉંજવાયો

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. રપઃ.. ખીરસરા ગામે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળમાં બિરાજતા પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી સ્વામીનારાયણ તથા આદિક દેવોનો ભવ્ય પાટોત્સવ, અન્નકુટ, ઉંત્સવ અને શાકોત્સવ સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી સ્વામી નારાયણસ્વરૂપદાસજીના અધ્યક્ષ સ્થાને શાનદાર રીતે ઉંજવાયો હતો આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજના આશીર્વાદનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી નારાયણસ્વરૂપદાસજીએ મનુષ્ય દેહની કિંમત તથા ભગવાનનો મહિમા સમજાવ્યો હતો તેમજ સ્વામી ધર્મસ્વરૂપદાસજીએ મહાપુરૂષના આશીર્વાદનો મહિમા પોતાની આગવી શૈલીમાં વર્ણવ્યો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓએ નૃત્યનાટિકા રજૂ કરી હતી આ સાથે શાસ્ત્રી સ્વામી નારાયણસ્વરૂપદાસજી ના પ૯માં જન્મદિવસની ભવ્ય ઉંજવણી પણ કરવામાં આવી હતી. હરિભકતોએ આ પ્રસંગે હાજરી આપી આ પ્રસંગનો અનેરો લ્હાવો લીધો હતો.

 

(10:32 am IST)