Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પૂ. રઘુરામબાપાની આગેવાનીમાં કોરોના કાળમાં પણ ભુખ્યાને ભોજન અપાયુ

પૂ. રઘુરામબાપા તેમના પત્નિ તથા પુત્રી સાથે નજરે પડે છે.

રાજકોટ તા. રપ :.. વિરપુર (જલારામ)નાં રમેશભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે વિરપુર (જલારામ) માં પૂ. જલારામબાપાનું મંદિર -અન્નક્ષેત્ર બંધ હતાં. પરંતુ ગાદિપતી પૂ. રઘુરામબાપાની આગેવાનીમાં ભુખ્યાને ભોજન અવિરત અપાતુ હતું.

પૂ. રઘુરામબાપાની આગેવાનીમાં શ્રમિકો, ગરીબો, નિરાધાર સૌને ભોજન - નાસ્તો આપવામાં આવતા હતાં.

રમેશભાઇ ગઢીયાએ જણાવ્યુ કે, તા. ૧૭-૧-૧૯૮૬ ના રોજ પૂ. ગીરધરરામબાપાએ પોતાના પૌત્ર પૂ. રઘુરામબાપાને ગાદિપતિ તરીકે જાહેર કર્યા હતાં.

(11:15 am IST)