Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન યોજાશે.

મોરબી :વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શનિવારે બપોરે શૌર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે જે શૌર્ય સંચલન મોરબી શહેરના જાહરે માર્ગો પર ફરશે.

 વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તા. ૨૫ ને શનિવારે બપોરે ૦૩ : ૩૦ કલાકે શૌર્ય સંચલન યોજાશે જે સંચલન પ્રસ્થાન રામ મહેલ મંદિર, દરબાર ગઢ મોરબી ખાતેથી પ્રસ્થાન કરશે અને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવશે જે શૌર્ય સંચલનમાં દરેક કાર્યકરોએ જોડાવવા અનુરોધ કર્યો છે.

(11:28 am IST)