Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાઈની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

મોરબીના ડીવાયએસપી તરીકે કાર્યરત રાધિકા ભારાઈની તાજેતરમાં બદલી કરવામાં આવી હોય ત્યારે ડીવાયએસપી કચેરી ખાતે રાધિકા ભારાઈનો વિદાય સમારોહ યોજાયો હતો
મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાઈની બદલીને પગલે કચેરીના પીએસઆઈ નિરાલી શુક્લા, અસ્મીતાબેન હડીયલ, આશાબેન, રઘુભા પરમાર, મહેશભાઈ ગઢવી, સુરપાલસિંહ પરમાર, જયેશભાઈ બાલાસરા, ઋતુરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ મિયાત્રા, પ્રકાશભાઈ બારોટ અને વિજયભાઈ આહીર સહિતની ટીમ દ્વારા રાધિકા ભારાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું

(11:41 am IST)