Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પાલીતાણામાં ગલુડિયાનું નામ સોનુ રાખ્યાની દાઝી રાખીને મહિલાને જીવતી સળગાવતા મોત

નીતા જયંતીભાઇ સરવૈયાની હત્યા કરનાર ૩ની ધરપકડ

ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પાંચ દિવસ પહેલા જીવતી સળગાવી દેવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના પાલીતાણા માં શકિતનગર માં રહેતી નીતાબેન જયંતીભાઈ સરવૈયા ઉં.વ.૩૫ને આજ વિસ્તારમાં રહેતા સુરાભાઈ વાલાભાઇ ભરવાડ, ઘેલાભાઇ વાલા ભાઇ ભરવાડ, કરણ રાજુભાઇ ભરવાડ, સોનલબેન સુરાભાઈ અને શાંતુબેન રાજુભાઈ ભરવાડે અગાઉ નીતાબેન સાથે થયેલ ઝઘડા અંગે સમાધાન થયું હોવા છતાં ઝગડાની દાઝ તેમજ નીતાબેનના પુત્ર એ ગલુડિયાનું નામ સોનુ રાખ્યાની દાઝ રાખીને ગત તારીખ ૨૦ના રોજ તમામે નીતાબેન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ નીતાબેન પર જવલનશીલ પદાર્થ રેડી તેને સળગાવવાનો પ્રયાસ કરી નાસી છૂટયા હતા.

દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી નીતાબેન ને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જેનું  સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ અંગે પોલીસે નીતાબેન દ્વારા નોંધાવેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

(11:42 am IST)