Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જૂનાગઢ ખાતે કાલે સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત કૃષિ ભવનનું ભૂમિ પૂજન અને મહા ખેડૂત શિબિર અંતર્ગત યોજાનાર કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ

માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કરાયા

  (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ.તા.૨૪ આવતી કાલે જૂનાગઢ   ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા આયોજીત ''નવનિર્મિત કૃષિ ભવનનું ભૂમિપૂજન અને મહા ખેડુત શિબિર'' કાર્યક્રમ અંતર્ગત.ગુજરાત પ્રદેશ ભા.જ.પ. સાંસદશ્રી-નવસારી લોકસભા પ્રદેશ અધ્યક્ષશ્રી,સી.આર.પાટીલ ના હસ્તે થનાર છે.

 ત્યારે કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓનું જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી આ તકે જૂનાગઢ જિલ્લાના એસપી સાહેબ શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ ડીવાયએસપી   પ્રદિપસિંહ જાડેજા  તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મહેતા સાહેબ સાથે માર્કેટિંગ યાર્ડ ના ઈન્ચાર્જ સેક્રેટરી પી એસ ગજેરા તેમજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા,  મંત્રી  રાજેશભાઈ છૈયા  અને કાર્યકરો અને યાર્ડ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.(તસવીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:34 pm IST)