Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમરેલી સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા)માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

અમરેલી : સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા) કે જે ૧૦૦ વર્ષ જુની સંસ્‍થા છે. તેમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉત્‍સાહભેર ઉજવણી સંસ્‍થાના પ્રમુખ એમ.કે.સાવલીયા, ટ્રસ્‍ટી મંડળ જગદીભાઇ એચ.પારેખ, દુર્ગાબેન મહેતા તેમજ વ્‍યાયામ વિરો અને સીનીયર સીટીઝનની હાજરીમાં ધ્‍વજવંદન કરાયું હતું. ધ્‍વજવંદન બ્‍લડ બેંક  (રેડ ક્રોસ સોસાયટી)માં નિઃશુલ્‍ક સેવા આપનાર મધુભાઇ વી.આજુગીયાના હસ્‍તે કરાયું હતું. ભારતના શહિદો અને સેવાભાવી લોકોનું સેવા એળે ન જાય. જેથી તેઓને યાદ કરી વીર શહીદોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી અને વ્‍યકિત જયા રહેતી હોય ત્‍યાં રાષ્‍ટ્રને વફાદાર થઇ એકબીજાને માતૃભાવથી રહે અને કોમ્‍યુનિકેશનના જમાનામાં નવું વિઝન લક્ષમાં રાખવા જણાવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:33 pm IST)