Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

દ્વારકામાં રામનામ મંત્ર બુક લખનારને સન્‍માનીત કરાશે

મીઠાપુર તા. ૨૭ : દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્‍થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી રામનામ મંત્ર ‘શ્રી રામ જય રામ જય જય રામ' મંત્ર લેખન બુક લખવાનું આયોજન કરેલ છે.

જેમાં ૧૦૧ બુક મંત્ર લેખન લખી આપનાર રામ ભક્‍ત ને ભાગવત ગીતા, રામાયણ, શિવપુરાણ, જે કાંઈ જોઈતું હસે તે આપી તેનું સન્‍માન કરવામાં આવશે. અને ૫૧ બુક લખી આપનારનું સન્‍માન કરવામાં આવશે. બુક મેળવવા માટે  દ્વારકા રામધૂન મંદિરમાં દુષ્‍યંતભાઈ મીન - મો. ૯૯૨૪૪૧૭૬૧૧ તથા હોટેલ શિવગંગા, હિરેનભાઈ ઝાંખરિયા - મો. ૯૯૨૪૦૨૯૫૦૦નો સંપર્ક કરવાનો રહેશે.

(4:59 pm IST)