Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કેશોદના બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકચાલક સંદિપ કારેથાનું મોત

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૭ :  કેશોદના છાબડીયા નેસ પાસે પસાર થતાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકચાલકે મોટરસાયકલ ને ઠોકર મારતાં બાઈકચાલક પડી ટ્રક નીચે કચડાઇ જતાં ઘટનાસ્‍થળે -પ્રાણપંખેરું ઉડી ગયું હતું. કેશોદ નાં બાયપાસ રોડ પર ગમખ્‍વાર અકસ્‍માતમાં મોટરસાયકલ રજી નંબર જીજે -૧૧-સીજે-૨૯૦૩ અને ટ્રક રજી નંબર જીજે -૧૧-ઝેડ-૫૪૨૯ સર્જાયો હતો.

 જેમાં ટ્રકચાલક અકસ્‍માત સર્જીને નાસી ગયો હતો ત્‍યારે બાઈકચાલક યુવાનનું મોત નિપજ્‍યું હતું. આકસ્‍મિક ઘટના માં મોતને ભેટનાર બાઈકચાલક નાં ખિસ્‍સામાં કોઈ ઓળખ પુરાવો ન હોય બંધ પડેલા મોબાઈલ ફોનનાં સીમકાર્ડનાં આધારે પરિવારજનોનો સંપર્ક કરી ઓળખ કરી હતી.મરણ જનાર સંદિપ ઉર્ફે સુધીર ગોવિંદભાઈ કારેથા મૂળ હાંડલા ગામના હોય હાલ કેશોદ શહેરમાં રહેતાં હોય ડિસ્‍પોઝલ વસ્‍તુઓ નાં વ્‍યવસાય સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી હતી. કેશોદના હાઈવે રોડ પર અકસ્‍માત સર્જાતા લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં. તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતાં. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદ શહેર નજીક પસાર થતાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ બાયપાસ પર અકસ્‍માત સર્જાવાની હારમાળા શરૂ થઈ ગઈ છે ત્‍યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલાસર સર્વિસ રોડ અને ડીવાઈડર પર લોખંડની રેલીંગ બનાવવામાં આવશે તો આવનારાં દિવસોમાં કોઈ નિર્દોષ વાહનચાલક નું જીવન બચાવી શકાશે.

(11:30 am IST)