Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જુનાગઢના બાપુનગરમાં રોડ ખોદાયા બાદ રીપેર ન થતા લોકો પરેશાન

લ્‍યો બોલો... ખરાબ રસ્‍તાને લઇ ૧૦૮ પણ આવી શકતી નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૭ : જુનાગઢના બાપુનગર વિસ્‍તારમાં રોડનું ખોદકામ કર્યા બાદ તેનું રીપેરીંગ ન થતા લોકો પરેશાનીમાં મુકાયા ગયા છે. બિસ્‍માર રસ્‍તાને લઇને ૧૦૮ પણ આવી શકે તેમ નથી.

આ સમસ્‍યા અંગે સ્‍થાનિક રહીશે અકિલાને મોકલેલા વિડીયો મુજબ જુનાગઢનાં જોશીપરાના બાપુનગર વિસ્‍તારમાં રસ્‍તાઓ પર મોટાપાયે ખોદકામ કરવામાં આવતો રસ્‍તો ઉબડ ખાબડ થઇ ગયો છે.

૧પ દિવસથી રોડ ખોદેલો છે. છતાં રસ્‍તાનું મરામત મનપા દ્વારા નહિ કરવામાં આવતા આ રોડ પરથી સ્‍થાનિક લોકોના વાહનો તેમજ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ પસાર ન થઇ શકે તેવી વિકટ સ્‍થિતિનું નિર્માણ થયુ છે.

રોડ ખોદાયા પછીનું કામ ઝડપથી પુર્ણ થાય તે માટે મહાપાલિકા અને કોર્પોરેટર દ્વારા ઘટતુ કરવામાં નહી આવતા રહીશો પરેશાન થઇ ગયા છે. આથી સવારે બાપુનગરના લોકોને રોડની સમસ્‍યાથી મુકત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

(12:43 pm IST)