Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કાલે ટંકારામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથી નિમિત્તે મહારકતદાન કેમ્પ

(ભાવીન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૮: શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આયોજિત મોરબી જિલ્લા સહકારી પરિવાર તથા સર્વ જ્ઞાતિના સહયોગથી  ગુજરાત રાજયના ખેડૂત અગ્રણી સોરઠના સિંહ અને છોટે સરદારનું વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તા.૨૯ને ગુરુવારે સવારે ૮:૦૦ થી બપોરના ૧:૦૦ સુધી શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે રાખેલ છે આ મહારકતદાન કેમ્પ માં ર્ંગુજરાતના  યુવા કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકના વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા તેમજ માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેનશ્રી ભવાનભાઈ ભાગીર્યાં ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રેરિત કરશે આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ દ્વારા રકતદાતાઓને ગિફ્ટ આપવામાં આવશે.

તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે ર્ંઅત્યાર સુધીમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૫૦ (સાડા પાંચસો)થી વધુ રકતદાતાઓ એ રજિસ્ટ્રેશન કરાવી ચુકયા ર્છેં રકતદાન માટે મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક તેમજ રાજકોટની રોટરી બ્લડ બેન્ક દ્વારા રકતદાતા આપેલ રકતને પ્રોસેસિંગ માટે લઈ જાશે તેમજ તેવો દ્વારા રકતદાતાઓને તેમજ તેઓના કોઈપણ સગા વાલા ને જરૂર જણાય ત્યારે રકત વ્યાજબી ભાવે જે પણ પ્રોસેસિંગ ફી થાય છે તે જ લઈ અને આપશે તેવું બ્લડ બેંકના ટ્રસ્ટીશ્રી જણાવેલ છે તેથી દરેક સમાજના નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જેવો એ આપણા માટે સરકાર હોય કે અન્ય કોઈપણ હોય તેમની સામે લડત કરી અને યોગ્ય ન્યાય અપાવેલ છે તેવા ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયા સાહેબ ને ઋણ ચૂકવવાનો અવસર ન ભૂલવો જોઈએ.

(11:39 am IST)