Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગોંડલના રૂપાવટીમાં એમપીના લખને ઝેર પી જિંદગી ટૂંકાવી

ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવતાં મજૂર પરિવારમાં શોકઃ પાંચ દિવસ પહેલા જ મજૂરી કરવા આવ્યો હતો

રાજકોટ તા. ૨૮: ગોંડલના રૂપાવટી ગામે ધવલભાઇ પટેલની વાડીમાં પાંચ દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી ખેત મજૂરી કરવા આવેલા લખન સુરપાલભાઇ વાસ્કેલ (ઉ.વ.૪૦) નામના યુવાને સાંજે વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર લખનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે અગાઉ બે વર્ષ પહેલા રૂપાવટીની આ વાડીએ કામ કરી ગયો હતો. લોકડાઉન થતાં વતન ગયો હતો અને પાંચ દિવસ પહેલા જ ફરીવાર આવ્યો હતો. તેણે ઝેર શા માટે પીધું તે અંગે વાડી માલિક કંઇ જાણતા નથી. ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)